Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં કોરોનાના વળતર માટે 1 લાખથી વધારે અરજીઓ આવી, સત્તાવાર રીતે માત્ર 10,579 મૃત્યુ નોંધાયેલા

On: February 4, 2022 6:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– તેલંગાણા સરકારે કોરોનાથી 3,993 લોકોના મૃત્યુની નોંધણી કરેલી તેના સામે વળતર માટે કુલ 31,053 અરજીઓ મળી

અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

ગુજરાત સરકારને કોવિડ-19થી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે હજુ પણ વધારે અરજીઓ મળી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્યએ કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તરફથી વળતર મેળવવા માટે ગુરૂવાર સુધીમાં 1,02,230 અરજીઓ મળી હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે રાજ્ય તરફથી કોરોના મહામારીના કારણે સત્તાવાર રીતે 10,579 લોકોના મૃત્યુની નોંધણી કરવામાં આવેલી છે. 

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે તે મેળવવા માટે 10 ગણા વધારે મૃત્યુનો દાવો દર્શાવતી અરજીઓ મળી રહી છે. કોવિડ મૃત્યુ વળતર મુદ્દે શુક્રવારે એપેક્ષ કોર્ટમાં સુનાવણી થવાની છે. 

અરજી પ્રમાણે ગુજરાતમાં કોરોના મૃત્યુ વળતર માટે 1 લાખ કરતાં પણ વધારે અરજીઓ મળી છે અને તેમાંથી 87,045 ક્લેઈમ મંજૂર કરવામાં આવ્યા છે. આજની તારીખ સુધીમાં 82,605 દાવાઓની ચુકવણી થઈ ગઈ છે. સરકારી સત્તાધીશોએ 8,994 અરજીઓ નકારી દીધી છે અને 6,000 કરતાં પણ વધારે અરજીઓ સ્ક્રુટિનીમાં છે. 

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન 5,867 બાળકો અનાથ બન્યા છે અને 3,287 કેસમાં વળતર આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાનો જે મૃતકઆંક રજૂ કરવામાં આવેલો તેની સામે વળતર માટેની અરજીઓમાં સૌથી વધારે તફાવત જોવા મળ્યો છે જે 10 ગણા જેટલો છે. જ્યારે તેલંગાણામાં આ પ્રમાણ 8 ગણા જેટલું છે. તેલંગાણા સરકારે કોરોનાથી 3,993 લોકોના મૃત્યુની નોંધણી કરેલી તેના સામે વળતર માટે કુલ 31,053 અરજીઓ મળી છે. તે પૈકીની 22,873 અરજીઓ સ્વીકારવામાં આવી છે અને 16,962 કેસમાં વળતરની ચુકવણી કરી દેવાઈ છે. 

અન્ય રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ સરકારે 14,527 કોરોના ડેથની નોંધણી કરેલી જ્યારે વળતર માટે 42,924 અરજીઓ મળી છે અને તેમાંથી 38,015 અરજીઓ સ્વીકારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 1,42,705 કોરોના ડેથ નોંધાયેલા તેના સામે વળતર માટે 2,27,107 અરજીઓ મળી છે જેમાંથી 1,32,092 અરજીઓ મંજૂર થઈ છે. તમિલનાડુમાં સત્તાવાર 37,636 કોરોના ડેથ સામે 61,954 અરજીઓ મળી છે જેમાંથી 47,096 અરજીઓનો સ્વીકાર થયો છે. જ્યારે બિહાર સરકારે 12,858 સત્તાવાર મૃત્યુની નોંધણી કરી છે તેના સામે વળતર માટે 11,507 અરજીઓ મળી છે અને તેમાંથી 10,685 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!