Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના અને મ્યુકોરમાઇકોસિસના એક-એક કેસ નોંધાયા

On: November 29, 2021 10:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોના ના કેસો સામે આવતા જાય છે, અને હાલ જી.જી.હોસ્પિટલમાં આઠથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. ત્યારે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં કોરોના ના મામલે રાહત રહ્યા પછી શનિવારે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે.

જોકે શહેરી વિસ્તારમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી. ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારી પણ ધીમે ધીમે ફેલાતી જાય છે, અને વધુ એક દર્દીનો ઉમેરો થયો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના ઈ.એન્ડ.ટી વિભાગમાં ફંગસની બીમારીના વધુ એક પુરુષ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેની આજે સર્જરી કરવામાં આવી રહી છે. સરકારી જી.જી હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વોર્ડમાં હાલ 13 વર્ષની એક બાળકી સહિત કુલ પાંચ દર્દીઓ  સારવાર મેળવી રહ્યા છે. જે તમામ હાલ ભય મુક્ત છે. અને તમામ દર્દીની સર્જરી કરી લેવામાં આવી છે.

જામનગર શહેરમાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી., એકમાત્ર જામનગર ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જી.જી.હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં આઠથી વધુ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં બે દર્દીઓને ઓક્સિજન ની મદદથી સારવાર આપવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!