Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોરાનામાં મૃત્તક 44 સભાસદોના વારસોને કુલ રૃ.1.12 કરોડ વળતર ચુકવવા હુકમ

On: March 1, 2022 10:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]



 સુરત

શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીના સભાસદોને સુરક્ષા યોજના હેઠળ વળતર ચુકવવાના નિયમમાં સુધારો કરી ક્લેઈમ ચૂકવાયો નહોતો


કોરાના કાળ દરમિયાન કુલ 44 મૃત્તક સભાસદોના પરિવારના વારસોને સભાસદ સુરક્ષા  યોજના હેઠળ કરેલા વળતરની માંગને નવા નિયમનો
હવાલો આપી નકારનાર શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક ધિરાણ સહકારી મંડળીને તેમના 32 સભ્યોને રૃા.2 લાખ અને 12  સભ્યોને રૃા.4 લાખ મળી કુલ રૃા.1.12 કરોડ ચૂકવવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ નિર્દેશ આપ્યો છે.


કતારગામ
જેરામ મોરારની વાડીમાં આવેલી શ્રી રૃઘનાથ સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળી દ્વારા
સભાસદ સુરક્ષા યોજના હેઠળ રૃ.500 કાપીને પ્રારંભમાં રૃ.1  લાખની યોજના અમલમાં હતી.
જેમાં વખતો વખત વધારો કરીને કુલ રૃ.4 લાખ સુધી સભાસદ સુરક્ષા યોજના હેઠળ મંડળીના
સભાસદોના મૃત્યુ પ્રસંગે તેમના વારસોને ચુકવવાનો નિયમ હતો. અલબત્ત મંડળીના નિયમમાં
કેટલાક અપવાદ પણ રાખવામાં આવ્યા હતા. જે મુજબ કુદરતી આફતો ધરતીકંપ
, રેલ, વાવાઝોડું, રોગચાળો, યુધ્ધ,
બળવો, ગેસ હોનારાત કે રમખાણ માં મૃત્યુ વળતર
ચુકવવામાં આવશે નહીં. ત્યારબાદ તેમાં તા.4-9-21 ના રોજ વળતર આપાત્રતામાં સુધારો
કરવામાં આવ્યો હતો.જે મુજબ જે તે સમયગાળામાં થતાં સભાસદ સુરક્ષા યોજનામાં જોડાયેલા
કુલ સભ્યોના 10 ટકા સુધીના મરણ થવાથી  આ
યોજના હેઠળ વળતરનો લાભ મેળવી શકશે.

જેથી
કોરાના કાળમાં મંડળીના કુલ 44 જેટલા સભાસદોનું કોરાનામાં મૃત્યુ થતાં તેમના
વારસદારો એ મંડળીના હોદ્દેદારો સમક્ષ સભાસદ સુરક્ષા યોજના હેઠળ વળતર વસુલ આપવા
માંગ કરી હતી.પરંતુ મંડળીના હોદ્દેદારોએ ઉપરોક્ત નિયમમાં સુધારા મુજબ વળતર
મેળવવાની પાત્રતા ધરાવતા ન હોવાનો જણાવી ક્લેઈમ નકારી કાઢતા ન્યાય માટે ગ્રાહક
કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુનાવણી બાદ બંને પક્ષોની રજૂઆતોને લક્ષમાં લઈને
તમામ અરજીઓને મંજુર કરી કુલ રૃ.1.12 કરોડનું વળતર તથા અરજી ખર્ચ અને હાલાકી બદલ
દરેક સભાસદના વારસોને રૃ. 1 હજાર ચુકવવા હુકમ કર્યો છે. ગ્રાહક કોર્ટે જણાવ્યું
હતું કે મંડળીએ કરેલા નિયમના સુધારો અસ્પષ્ટ હોવા ઉપરાંત તેમાં છેકછાક અને જવાબદાર
અધિકારીની કાઉન્ટર સહી પણ ન હોઈ કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!