Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતઃ વિધાનસભા ચૂંટણી પહેલા આપને ફટકો, 5 કોર્પોરેટર સિવાય અન્ય કોર્પોરેટરો પણ કેટલાક નેતાઓના સંપર્કમાં હોવાની શંકા

On: February 4, 2022 7:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પ્રમાણિકતા નો દાવો કરનારા આમ આદમી પાર્ટીએ પોતાના કોર્પોરેટરો વેચાઈ ગયા હોવાની વાત કરી

પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પછી સંપર્ક વિહોણા થતાં સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આટલું જ નહીં પરંતુ આ પાંચ કોર્પોરેટરો ઉપરાંત અન્ય કેટલાક કોર્પોરેટરો પણ ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી ચાલતા વિવાદને પગલે આપની આબરૂનું ધોવાણ થયું છે. ત્યારબાદ પક્ષી એ કોર્પોરેટરોને આપેલી નોટિસ બાદ આપની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અણધારી સફળતા મળ્યા બાદ આમ આદમી પાર્ટી પોતાને સૌથી પ્રામાણિક પાર્ટી હોવાનો દાવો કરી રહી હતી. પરંતુ થોડા સમયમાં આપના અનેક વિવાદ બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા આપના મહિલા મહિલા કોર્પોરેટરના લગ્નજીવન અંગે વિવાદ થયો હતો. ત્યારબાદ એક જ વરણા બે કોર્પોરેટરોની ફરવા જવા અંગે ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ વિવાદ શાંત પડે તે પહેલા ગઈકાલે ભાજપના નેતાઓ દ્વારા આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના જ પક્ષના વિપુલ મોવલિયાને ભ્રષ્ટાચાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાની નોટિસ ફટકારી છે. આ નોટિસનો જવાબ આવે તે પહેલાં જ આપના ચાર કોર્પોરેટરો પક્ષ થી સંપર્ક વિહોણા થઈ ગયા છે.

ચૂંટણી પહેલા પોતાના સૌથી પ્રામાણિક છે તેવો દાવો કરવામાં આવતો હતો પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના જ પક્ષના કોર્પોરેટર ભ્રષ્ટાચારનો આરોપ મુકવા સાથે ભાજપ સાથે સંકલનમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો પણ આરોપ મૂક્યો છે.

હાલમાં તો આ પાસે કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ જશે એવી વાત જોરમાં શરૂ થઈ ગઈ છે. ઠાકોર સેના માટે છોડે છે ને ભાજપમાં શાના માટે જોડાય છે તે તો તેમના નિવેદન બાદ જ ખબર પડશે. જો આપના સંપર્ક વિહોણા થયેલા કોર્પોરેટરો જો મોઢું ખુલશે તો મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!