Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માધાપર ચોકડીએ બંધાઈ રહેલા બ્રિજનો પિયરનો ટોપ ધસી પડયો

On: January 24, 2022 11:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રાજકોટમાં કાયમી ટ્રાફિક જામવાળા ચોકમાં દુર્ઘટના : વર્કમેનશીપમાં બેદરકારી, બેને સાધારણ ઈજા: 70  કરોડના ખર્ચે 1200 મી.  બ્રિજનું 45 ટકા કામ પૂર્ણ પણ જમીન સંપાદન બાકી હોઈ શ્રમિકોને સંકડાશ 

રાજકોટ, : રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ  દ્વારા રાજકોટમા જ્યાં કાયમી ટ્રાફિક જામ રહે છે તેવા ધમધમતા દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન 24 પૈકી એક પિયર (મોટા કદનો પીલર) ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં આ ભાગ ધસી પડયો હતો અને મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી હતી. 

પ્રાથમિક તપાસમાં બ્રિજના કામમાં વર્કમેનશીપ જળવાઈ નહીં હોવાના કારણે દુર્ઘટના બન્યાનું તારણ નીકળ્યું છે પરંતુ, માલ મટીયરીલ્સમાં ગુણવત્તા પણ તપાસનો વિષય છે. બ્રિજ જેના પર ઉભો રહે છે તેવા પિયર ઉપરના બોક્સ ગર્ડરમાં ગત સાંજે કોંક્રિટનું ભરવામાં આવી રહ્યું હતું અને વીસેક ટકા માલ ભરાયો ત્યાં સેન્ટ્રીંગના લોખંડના ત્રાપા-ટેકા ફસકી જતા એ ભાગ ધરાશાયી થયોહતો. જેમાં બે શ્રમિકોને ઘસરકાથી ઈજા થયાનું જણાવાયું છે. સદભાગ્યે નીચે કાઈ હતું નહીં તેથી જાનહાનિ અટકી છે. ઘટના બાદ રાત્રિના મોડે સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઈજનેરો સ્થળ પર દોડી ગયા હતા. 

માર્ગ મકાન વિભાગના સૂત્રો અનુસાર સેન્ટરીંગ પછી સિમેન્ટ કોંક્રિટનો માલ અંદર ભરાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી હિટાચી કે અન્ય કોઈ વાહનનો ભાગ અડકી જતા અકસ્માતથી આ ભાગ ધસી પડયો છે. રૂ।. 70 કરોડના ખર્ચે બનતા 1200 મીટર લંબાઈના આ હાઈલેવલ બ્રિજમાં કૂલ 24 પિયર છે અને 16 પિયરનું કામ થયું છે, હજુ સ્લેબનું કામ શરૂ થયું નથી. 

બીજી તરફ, આ સ્થળે બ્રિજ કામગીરી માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી હજુ થઈ નથી. ઈજનેરી સૂત્રો અનુસાર આ કારણે કારીગરો,મજુરોને સંકડાશમાં કામગીરી કરવી પડે છે.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!