Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખેડા જિલ્લામાં ઓમિક્રોનનો એક અને કોરોનાના 36 નવા કેસ નોંધાયા

On: January 2, 2022 9:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– કોરોના સંક્રમિતોમાં 2 કિશોરી અને 2 કિશોરનો પણ સમાવેશ

– નડિયાદ શહેર અને તાલુકા, માતર, વસા, ઠાસરા અને ગળતેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા 

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાનો  ૩૬ નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે એક ઓમીક્રોનનો કેસ નોધાયો છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર અને તાલુકામાં, માતર, વસા, ઠાસરા અને ગળતેશ્વરમાં કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે.

મળતી વિગતો અનુસાર રવિવારના રોજ જિલ્લામાં કોરાનાના નવા ૩૬ કેસો  સામે આવ્યા  છે. જેમાં નડિયાદ શહેર અને તાલુકામાં ૨૭,માતર તાલુકામાં -૫, વસો તાલુકામાં-૨, અને ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાંથી ૧-૧ કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. નડિયાદમાં ૧૧ વર્ષીય કિશોરી અને ૧૬ વર્ષનો કિશોર અને માતરના સંઘાણામાં ૧૪ વર્ષીય કિશોરી અને ૧૦ વર્ષીય કિશોર મળી જિલ્લામાં કુલ-૩૬ નવા કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે.

આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોનો આંકડો ૧૦,૩૦૧ થયો  છે, જેમાંથી ૧૦,૪૩૬ નાગરિકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.અત્યારે જિલ્લામાં કુલ-૧૧૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૪ દર્દીઓ સિવિલ હોસ્પિટલમા અને ૧૧૨ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજ રોજ જિલ્લામાંથી ૩૨૭ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે,જે તમામના રિઝલ્ટ પેન્ડિંગ હોવાનુ આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.આજે  ૩,૬૪૮ લાભાર્થીઓએ કોરોના  રસીનો લાભ લીધો હોવાનુ આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.

તાન્ઝાનિયાથી આવેલા પુરૂષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ જિલ્લામાં એક ઓમીક્રોનનો કેસ નોધાયો છે.આ અંગે આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર ગત તા.૨૪ ડિસેમ્બરના રોજ તાન્ઝાનિયા થી આવેલા એક પુરુષનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ હતુ. તેનો રીપોર્ટ ગત તા.૧ જાન્યુઆરના મોડી રાતે ઓમીક્રોન પોઝીટીવ આવ્યો હતો. હાલ આ દર્દી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ સ્પેશિયલ વોર્ડમાં સારવાર હેઠળ છે. હાલ દર્દી નોર્મલ સ્થિતીમાં છે અને આગામી સમયમાં તેનુ ફરીવાર સેમ્પલ લેવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!