Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: ભાજપના પ્રદેશ પ્રમુખે કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર માટે જાહેરાત કરી પણ સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ

On: March 24, 2022 11:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સરકારે સ્કૂલ શરૂ કરી પણ એન.જી.ઓ. નક્કી નહીં કરતા સુરતની સ્કૂલમાં મધ્યાહન ભોજન બંધ

– સુરતમાં  સરકારી સ્કૂલો શરૂ થઈને એક મહિનો થઈ ગયો મધ્યાહન ભોજન બંધ છતાં વિપક્ષનું ફરી એક વાર ભેદી મૌન 

સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

કોરોનાનું જોર ઘટી જતાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શાળા સરકારે શરૂ કરાવી દીધી છે. સરકારે શાળા તો શરૂ કરાવી દીધી પરંતુ ગરીબ બાળકોને  મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે યોજના હજી શરૂ કરાવી નથી. સુરતમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી શાળા ચાલે છે અને મધ્યાહન ભોજન બંધ છે તેના માટે શાસકો અને અધિકારીઓ સાથે સાથે ફરી એક વાર વિરોધ પક્ષ પણ ચૂપ થઈ ગયો છે. શાસક-વિપક્ષ ભાઈ ભાઈ હોવાથી છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી બાળકોને મધ્યાહન ભોજન મળતું ન હોવા છતાં વિરોધ પક્ષ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ  દોઢેક માસથી શરૂ થઈ ગઈ છે.  સમિતિની શાળામાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે તેના માટે મધ્યાહન ભોજન યોજના ચાલે છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને અનાજ ની કુપન આપવામાં આવતી હતી તે કુપન પણ આપવાનું હાલ બંધ છે. તેની સાથે શાળાઓ ચાલુ છે પરંતુ મધ્યાહન ભોજન માટે જે એન.જી.ઓ. નક્કી કરવાની હોય છે તે એન.જી.ઓ. સરકારે નક્કી કરી ન હોવાથી હાલ એક લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે. 

સરકાર કુપોષણ અટકાવવાની વાત કરે છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મ દિવસે કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર આપવા માટે યોજના પણ જાહેર કરવામાં આવી છે પરંતુ સમિતિની શાળામાં હજી સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. આ અંગે ભાજપ કે આમ આદમી પાર્ટીએ કોઈ રજૂઆત કરી નથી. શિક્ષણ સમિતિના કોંગ્રેસના માજી સભ્યએ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. પરંતુ મોટી મોટી વાત કરતાં પાલિકાના વિરોધ પક્ષ કે શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ દ્વારા એક મહિનાથી મધ્યાહન ભોજન અપાતું નથી તેના મુદ્દે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. શાસક- વિપક્ષ ભાઈ ભાઈની ભૂમિકા હોવાથી સમિતિના દોઢેક લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણ યુક્ત આહાર મળતો નથી તેવા આક્ષેપ થઈ રહ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!