Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

On: February 28, 2022 4:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28

જામનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શિવ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે શહેરી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, તેના અનુસંધાને સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, અને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા, અને એખલાસ ભર્યા વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તેવી ચર્ચા થઈ હતી.

જામનગર શહેરમાં મંગળવારે મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને શિવ શોભા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે, ત્યારે શહેરમાં સુલેહ શાંતિ ભર્યું વાતાવરણ બનેલું રહે, તેના અનુસંધાને સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. જે. જલુની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. જેમાં શિવ શોભાયાત્રાના આયોજક રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ ઉપરાંત અન્ય હિન્દુ સમાજની જુદી જુદી સંસ્થાના આગેવાનો, ઉપરાંત જામનગરના સુન્ની મુસ્લિમ સમાજના ના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી, તેમજ મુસ્લીમ સમાજના અન્ય જુદા જુદા આગેવાનો સાથેની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, અને જામનગર શહેરમાં એખલાસ ભર્યું વાતાવરણ બનેલું રહે, અને ધાર્મિક તહેવારની ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થાય તે માટેની ચર્ચા થઈ હતી, અને સૌ સાથે મળીને ઉત્સવ ઉજવવા નિર્ણય લેવાયો હતો.

ઉપરાંત શહેરમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પુરતો પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કે. જે. ભોયે તેમજ શ્રી એમ. જે. જલૂની રાહબરી હેઠળ સમગ્ર તહેવાર દરમિયાન શોભાયાત્રાના રૂટ પર તેમજ શહેરનાં તમામ શિવાલયોના દ્વારે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!