Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના એક નિવૃત્ત આર્મીમેનની હથિયાર સાથે અટકાયત: 2013 ની સાલથી લાયસન્સ રીન્યુ નહીં કરાવતાં એસ.ઓ.જી.એ ગુન્હો નોંધ્યો

On: February 4, 2022 2:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર : જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેનની પોલીસે હથિયાર ધારા ભંગ બદલ અટકાયત કરી લઈ હથીયાર (ગન) કબજે કર્યું છે. ૨૦૧૩ ની સાલથી હથિયાર લાયસન્સ રીન્યુ કરાવ્યું ન હોવાથી હથિયાર ધારા ભંગ બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

એસ.ઓ.જી.શાખાની આ કાર્યવાહી અંગેની વિગતો જાણવા મળ્યા મુજબ જામનગરના બાલાજી પાર્ટ-૨ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન ધર્મેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા કે જેઓએ જમ્મુ કાશ્મીર માથી પોતાની જે તે વખતેની ફરજ દરમિયાન બાર બોરની ડબલ બેરલ વાળી ગન મેળવી હતી, અને તેનું લાયસન્સ મેળવ્યું હતું.

જે લાયસન્સની મુદત ૨૦૧૩ની સાલમાં પૂર્ણ થઇ ગઇ હતી, તેમ છતાં તેઓએ પોતાના હથિયારનું લાયસન્સ રીન્યુ કરાવ્યું ન હતું. જે અંગેની જાણકારી એસ.ઓ.જી. શાખાને મળતાં તેઓએ નિવૃત આર્મીમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ને એસ.ઓ.જી.ની કચેરીએ બોલાવીને ખરાઇ કરી હતી.

જેમાં પોતે લાયસન્સ રીન્યુ કરાવ્યા વિના ગેરકાયદેસર રીતે હથિયાર ધારણ કરીને ફરતા હતા. આથી એસ.ઓ.જી શાખાએ હથિયાર કબજે કરી લીધું છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગ અંગેની ફરિયાદ નોંધાવી છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!