Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામજોધપુરના સમાણા પીજીવીસીએલના એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

On: January 25, 2022 10:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 25

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. થોડા દિવસો બાદ જ લગ્ન યોજાવાના હતા. જેથી પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના વતની અને હાલ જામજોધપુરના સમાણા પીજીવીસીએલની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરતા તેમજ જામજોધપુરમાં મકાન ભાડે રાખીને અન્ય વીજ કચેરીના કર્મચારીઓ સાથે રૂમ-પાર્ટનર તરીકે રહેતા કલ્પેશ દેવાયતભાઈ પીઠડીયા નામના 24 વર્ષના કર્મચારીએ ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના રુમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ પછી મૃતકના પરિવારજનો જામજોધપુર દોડી આવ્યા હતા, અને મૃતક ના સંબંધી હરેશભાઈ લખમણભાઇ પિઠીયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાને કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક યુવાન કેજે અન્ય કર્મચારીઓ સાથે રૂમ ભાડે રાખીને રહેતો હતો, અને તાજેતરમાં પોતાના વતનમાં ગયો હતો. ત્યાંથી બે દિવસ પહેલાં જામજોધપુર પરત આવ્યો હતો. દરમિયાન તેણે ગઈ કાલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જે અંગેની વધુ પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યા મુજબ મૃતકના આવતા મહિને લગ્ન પણ યોજાયા હતા, તે પહેલાં જ તેણે આ પગલું ભરી લેતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!