બનાસકાંઠામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, મહેસાણા-ઊંઝા સહિત કોરોનાના વધુ બે કેસ

0
132

[ad_1]

મહેસાણા, તા.૩૧

વૈશ્વિક મહામારી
કોરોનાની ત્રીજી લહેરનો બિલ્લીપગે પેસારો થયા બાદ છેલ્લાં ત્રણેક દિવસમાં મહેસાણા
જિલ્લામાં એકાદ ડઝનેક કોરોનાના નવા કેસ નોંધાવાના પગલે સબ સલામતના ઢોલનગારા ટીપતાં
આરોગ્ય તંત્રના બાબુઓની લાલિયાવાડી છતી થઈ રહી છે. બે દિવસ અગાઉ કોરોનાના ત્રણ નવા
કેસ આવ્યા બાદ ગઈકાલે ગુરુવારે એક જ દિવસમાં મહેસાણા શહેરમાં પાંચ
, કડીમાં ત્રણ અને વિસનગરમાં એક દર્દી મળી જિલ્લામાં કુલ ૯ દર્દીના કોરોના
પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.  દરમિયાનમાં
આજે શુક્રવારે મહેસાણામાં એક પુરુષ અને ઊંઝામાં એક પુરુષ એમ કોરોના પોઝિટિવના નવા
વધુ બે કેસ નોંધાયા હતા.  કોરોનાએ વિદાય લઈ
લીધી હોવાના મૂડમાં રાચતાં આરોગ્ય અધિકારીઓ ઊંઘતા ઝડપાયાં હતા. મહેસાણા જિલ્લામાં
કોરોના અને ઓમિક્રોનને પહોંચી વળવા માટે ૭ સરકારી અને ખાનગી ૫ મળી કુલ ૧૨ ઓક્સિજન
પ્લાન્ટ કાર્યરત છે. જે તમામ ઓક્સિજન પ્લાન્ટની કેપેસીટી ૧૧.૮૧ મેટ્રીક ટન છે.
તેવી જ રીતે
, જિલ્લામાં ૫૪ આઈસીયુ, બે
વેન્ટીલેટર્સ આઈસીયુ
, ૩૦૫ નોનઆઈસીયુ તેમજ ૧૫૯૪ ઓક્સિજન બેડ
મળી કુલ ૩૧૮૧ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ
જણાવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં આજે ઓમિક્રોન પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો હતો.
જેમાં લંડનમાં તબીબી અભ્યાસ કરતો યુવાન 
અમદાવાદ એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતાં સીધાં જ તેને ડીસા  સિવિલ હોસ્પિટલમાં આઠેક દિવસ અગાઉ ખસેડાયો હતો.
જ્યાં આજે રાત્રે આઠ વાગે તેનો ઓમિક્રોન પોઝિટિવ જાહેર થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં આજે ઓમિક્રોન પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો
હતો. જેમાં આઠેક દિવસ પૂર્વે લંડનમાં અભ્યાસ કરતો યુવાન અમદાવાદ એરપોર્ટ પર કોરોના
સંક્રમિત જણાતાં તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેના સેમ્પલને
ટેસ્ટીંગમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાનમાં આજે શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે
યુવાનનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવતાં આરોગ્ય તંત્રના બાબુઓ
ઉંધામાથે થયાં હતા. જિલ્લામાં આરટીપીસીઆરના ૧૪૮૬ ટેસ્ટ કરાયા હતા. જ્યારે ૯૩૨
એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા. તેમજ કુલ ૨૪૧૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
કોરોનાની પ્રથમ લહેરમાં ૫૭૬૬ અને બીજી લહેરમાં ૯૧૮૨ લોકો મળી કુલ ૧૪૯૪૮ વ્યક્તિઓ
કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા.  જેમાં
૨૮૭ કોરોનાના દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર
દ્વારા લોકોને કોરોના સામે રક્ષણ આપવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.
જિલ્લામાં વેક્સિનેશનની ૯૦ ટકા કામગીરી થઈ છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને
અનુલક્ષીને લોકોને તુરંત સારવાર મળી રહે તે માટે જિલ્લાની ૧૬ ખાનગી અને તાલુકા
કક્ષાની સરકારી હોસ્પિટલોમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઉપરાંત, પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત
રાધનપુર
, સિધ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામૂહિક આરોગ્ય
કેન્દ્રોમાં કોરોના અને ઓમિક્રોના દર્દીઓને સારવાર પુરી પાડવા માટે ૧૦૦૦થી વધુ
બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં બાળકો માટે ૧૦૦ સહિત કુલ ૫૭૫ ઓક્સિજન બેડનું
આયોજન કરાયું હોવાનું પાટણ સીડીએચઓ. ડો.એસ.એ.આર્યે જણાવ્યું હતુ.

છેલ્લાં ત્રણેક દિવસથી મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના
કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્રણેક દિવસ પૂર્વે કોરોનાના ત્રણ કેસ
નોંધાયા હતા. દરમિયાનમાં ગઈકાલે ગુરુવારે એક જ દિવસમાં ૯ નવા કોરોના કેસ સામે
આવ્યાં હતા. જેના લીધે આરોગ્ય તંત્રના સત્તાધિશોએ હરકતમાં આવી આવશ્યક કાર્યવાહી
હાથ ધરી હતી. કોરોના સંક્રમણની ગતિ તેજ બની હોય તેમ આજે મહેસાણા શહેરના બાલાજી
સ્ટેટસ વિસ્તારના ૫૫ વર્ષીય પુરુષ અને ઊંઝાના ૬૧ વર્ષીય વૃધ્ધનો કોરોના પોઝિટિવ
રિપોર્ટ આવ્યો હતો. જેની જાણ થતાં જ આરોગ્ય તંત્રએ બન્ને કોરોના કેસને હોસ્પિટલાઈઝ
કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે
, અત્યાર
સુધીમાં ૩૨૯૯૧૬ સેમ્પલ લેવામાં આવ્યાં છે
, તેમાંથી ૩૨૬૯૮૮
સેમ્પલ નેગેટીવ આવ્યાં છે. આજે ૨૭૭૦ સેમ્પલનું રીઝલ્ટ આવ્યું છે. જેમાં ૨૭૬૯
સેમ્પલનું નેગેટીવ રીઝલ્ટ અને એક સેમ્પલનું રીઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. જ્યારે અન્ય
લેબોરેટરીમાં એક કેસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે ગુરૃવારે કુલ ૨૯૦૧ સેમ્પલ
લેવાયા હતા
, જે તમામનુ રીઝલ્ટ પેન્ડીંગ રહ્યું છે.
દરમિયાનમાં  આજે વધુ બે નવા કોરોના કેસ
નોંધાવાના પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓએ સર્વેની કામગીરી વધારી દીધી હોવાનું
જાણવા મળ્યું હતુ. આજે આરટીપીસીઆરના ૧૭૯ કેસ અને એન્ટીજનના ૮ ટેસ્ટ નેગેટીવ આવ્યાં
હતા. જ્યારે અત્યારસુધીમાં કુલ ૪૫૭૯ આરટીપીસીઆર ટેસ્ટ અને એન્ટીજન ટેસ્ટ ૨૧૬
લેવાયા હતા. જે તમામ નેગેટીવ નોંધાયા હતા. આજે ત્રણ દર્દીને હોસ્પિટલમાંથી
ડીસ્ચાર્જ કરાયા હતા. જ્યારે હાલમાં કુલ ૧૬ એક્ટીવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં
ઓક્સિજન બેડ-૧૫૯૪ તથા વેન્ટિલેટર્સ સાથેના પ૪ આઈસીયુ અને નોન વેન્ટિલેટર્સના ૩૦૫
આઈસીયુની સુવિધા સાથે કુલ ૩૧૮૧ બેડ ઉપલબ્ધ

મહેસાણા
જિલ્લામાં ઓક્સિજનના ૧૨ પ્લાન્ટ

મહેસાણા જિલ્લામાં સરકારી ઓક્સિજન પ્લાન્ટ ૭ તથા ખાનગી
ઓક્સિજનના પ પ્લાન્ટ મળી કુલ ૧૨ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાનું સીડીએચઓ
ડો.વિ.એ.પટેલે જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ જિલ્લાના સરકારી ઓક્સિજન પ્લાન્ટ
૭ ની કેપેસીટી ૭.૫૩ મેટ્રીક ટન તથા ખાનગી ઓક્સિજન પ્લાન્ટ-પની કેપેસીટી ૪.૨૮
મેટ્રીક ટન મળી કુલ ૧૧.૮૧ મેટ્રીક ટન કેપેસીટી છે. જિલ્લામાં કુલ બેડ ૩૧૮૧ છે.
જેમાં ૫૪ આઈસીયુ
, બે વેન્ટીલેટર્સ આઈસીયુ, નોન
વેન્ટીલેટર્સ-૩૦૫ આઈસીયુ છે. તેવી જ રીતે
, ઓક્સિજન બેડ-૧૫૯૪
છે.

બનાસકાંઠા
જિલ્લામાં ૧૭ પી.એસ.એ.પ્લાન્ટ શરૃ કરાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની લહેરમાં ઓક્સિજનની માંગને પહોંચી
વળવા માટે ૨૦ પી.એસ.એ.પ્લાન્ટ મંજૂર કરાયા હતા. જેમાં પાંથાવાડા
, શિહોરી,
જડિયા સિવાયના તમામ તાલુકામાં ૧૭ પ્લાન્ટ શરૃ કરી દેવાયા છે. તેવી જ
રીતે
, સરકારી સંસ્થાઓમાં ૧૨૯૪ ઓક્સિજન લાઈન પૂર્ણ કરાઈ છે.
તેમજ ૨૯૭ ઓક્સિજન કોન્સનટ્રેટર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં અત્યાર
સુધીમાં કોરોના સામે સુરક્ષા પુરી પાડવા રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં
૨૪૫૩૩૪૮ ના ટાર્ગેટ સામે ૨૧૯૧૮૬૩ લોકોને પ્રથમ ડોઝ અને ૨૧૬૧૬૨૯ લોકોને બીજો ડોઝની
રસી આપી વેક્સિનેશનની ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ હતી. ઉપરાંત
, વર્તમાન કોરોનાના વધતાં જતાં કેસોને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લામાં ૧૬
ખાનગી અને તાલકાની તમામ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટ ે કોરોનાની સારવાર ઊભી
કરવામાં આવી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here