Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં મ્યુકોર્માઇકોસિસની બીમારી ના દર્દીઓ માટે ૯ મહિનાના લાંબા સમયગાળા પછી સારા સમાચાર

On: December 30, 2021 1:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ માં સારવાર મેળવી રહેલા અંતિમ દર્દીને રજા અપાતાં વોર્ડ ખાલી

 જામનગર તા ૩૦, 

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારીના દર્દીઓ માટે આજે સારા સમાચાર આવ્યા હતા, અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા 

એકમાત્ર દર્દીની તબિયતમાં સુધારો થઈ જતાં તેને આજે રજા આપવામાં આવી છે. જેથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારીના દર્દીઓનો આંકડો ઝીરોનો થયો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં ગત એપ્રિલ માસ દરમિયાન પ્રથમ મ્યુકોર્માઇકોસિસની બીમારી નો કેસ સામે આવ્યો હતો, અને અલગથી વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ધીમેધીમે કેસની સંખ્યા ઘટતાં આ વોર્ડ ને ખાલી કરી દઇ ઇ.એન્ડ.ટી. વિભાગમાં આવા દર્દીની સારવાર ચાલી રહી હતી. જેના ૯ મહિનાના લાંબા સમયગાળા પછી આજે સૌ પ્રથમ વખત મ્યુકોર્માઇકોસિસની બીમારી ના દર્દીઓનો આંકડો જીરોનો થયો છે, અને સંપૂર્ણ વોર્ડ ખાલી થયો છે.

જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ તથા અન્ય જુદાજુદા વિભાગો દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ નાની મોટી સર્જરી કરી લેવામાં આવી છે, અને ૨૦૦થી વધુ મયુકર ની બીમારી ના દર્દીઓએ સારવાર મેળવી લીધી છે. જોકે આ બીમારીના કારણે અત્યાર સુધીમાં પાંચ દર્દીના મૃત્યુ થયા નું જાહેર કરાયું છે, ઉપરાંત આ વોર્ડમાં અન્ય બીમારીના કારણે પણ દાખલ થયા હોય તેવા ૪૦થી વધુ દર્દીઓએ દમ તોડી દીધો છે. જેમાં મૃત્યુનું કારણ કોરોના અથવા તો અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. બાકીના મોટા ભાગના દર્દીઓની સર્જરી કરી લેવાયા પછી તેઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેમાં ૨૫થી વધુ દર્દીઓની એક આંખ કાઢવી પડી હોય, અથવા તો જડબાનો ભાગ સાફ કરવો પડ્યો હોય, તેવા કેસ પણ જોવા મળ્યા હતા.

છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન આ વોર્ડમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું, અને તમામ દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. જેથી આજે જામનગર શહેર અને જિલ્લો મ્યુકોર્માઇકોસિસ ની બીમારીથી મુક્ત થયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!