Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર નજીક જાંબુડા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

On: December 1, 2021 10:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર-સચાણા હાઇવે પર જાંબુડા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનનો બચાવ થયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં ખાણ વિસ્તારમાં રહેતો જયેશ મનસુખ ભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવાન તેની સાથે જ રહેતા નસીમ જખરાને પોતાની મોટરસાયકલની પાછળની સીટમાં બેસાડીને નાઘેડીથી તરફ ઈલેક્ટ્રીકનું કામ કરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન જામનગર-સચાણા ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈકચાલક યુવાન જયેશ પરમાર ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઇ ગયો હતો, અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. જયારે તેનો મિત્ર નસીમ જખરા કેજે પાછળ ની સીટ પરથી ફંગોળાઇ ગયો હોવાથી કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, અને તેના ચમત્કારિક બચાવ થયો હતો.

આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!