Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના અલીયા બાડા ગામમાં પ્રેમ પ્રકરણમાં 80 વર્ષના વયોવૃદ્ધ પર ખૂની હુમલો

On: December 1, 2021 7:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર તાલુકાના આલિયા બાડા ગામમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગ ઉપર પ્રેમ પ્રકરણના કારણે મંગળવારના રોજ જીવલેણ હુમલો કરાયો છે. પ્રેમ લગ્ન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિતના શખ્સોએ કારમાં આવી ધોકા-પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ખૂનની કોશિશ કરી છે. આરોપીઓ રાજકોટ તરફ ભાગી છૂટયા હોવાથી પોલીસ ટુકડીએ તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે.

જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા સુખાભાઈ કચરાભાઈ બરબચીયા નામના 80 વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર ધોકા પાઈપ જેવા હથિયારો વડે ખૂની હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે અને પતાવી દેવાની ધમકી આપવા અંગે લિયા બાડા ગામમાં જ રહેતા જીતુ ઉર્ફે જીતિયો નાગદાનભાઈ મકવાણા, આશિષ ઉર્ફે આસલો નાગદાનભાઈ મકવાણા અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત વયોવૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓના સંખ્યાબંધ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ તેમની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા, અને તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 307, 325, 324 સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓ રાજકોટ તરફ કાર મારફતે ભાગ્યા હોવાથી પોલીસની એક ટુકડી રાજકોટ પહોંચી ગઈ છે, અને એક આરોપીને સકંજામાં લઇ લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન ફરિયાદી સુખાભાઈની પૌત્રીનું આજથી 10 મહિના પહેલા અપહરણ થઈ ગયું હતું, અને આરોપી આશિષ નાગદાનભાઈ મકવાણા તેણીને ઉઠાવી ગયો હતો, અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે મામલે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હોવાથી સુખાભાઈ ના પરિવાર દ્વારા આરોપીઓ ઉપર હુમલો કરાયો હતો. જેનું મનદુખ રાખી ને ગઇકાલે મોડી રાત્રે તમામ આરોપીઓએ જીવલેણ હુમલો કરી દીધો હોવાનું જાહેર થયું છે. જે તમામને પોલીસ શોધી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!