Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કાંકરેજ તાલુકાના શિહોરીમાં દાદી-પૌત્રનું ગળું કાપી ક્રૂર હત્યા

On: November 30, 2021 1:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,
તા.29

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રાત્રે મકાનમાં
નિંદર માણી રહેલ દાદી અને પૌત્રનું ગળું કાપી ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર
પંથકમાં અરેરારી વ્યાપી જવા પામી છે. આ ડબલ મર્ડરને અંજામ આપનાર અજાણ્યા
હત્યારાઓને પકડી પાડવા પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના શિહોરીમાં રામજી મંદિર પાસે આવેલ નસકોરા
તળાવની પાળે રહેતા રામાનંદી સાધુ પરીવારના 
સુશીલાબેન મુકેશકુમાર સાધુ અને તેમનો પૌત્ર ધામક ચિરાગ સાધુ રવિવારની
રાત્રે પોતનાં મકાનમાં નિંદર માણી રહ્યા હતા.દરમ્યાન રાત્રીના સમયે કોઈ  વ્યક્તિએ આ બન્ને દાદી- પૌત્રના ગળાના ભાગે
તીક્ષણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી 
ફરાર થઈ ગયા હતા.વહેલી સવારે જ્યારે મકાનમાં ડબલ મર્ડર થી લોહીના ખાબોચિયા
ભરાતા બનાવ અંગે શિહોરી પોલીસને જાણ કરાતા શિહોરી પીએસઆઇ
, દીયોદર ડીવાયએસપી
સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને એફ. એસ.એલની મદદ લઇ અજાણ્યા
હત્યારાઓને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે ૪૫ વર્ષીય મહિલા સુશીલાબેન
અને તેમના ૬ વર્ષના માસુમ પૌત્ર ધામકની હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા
પામી હતી અને હત્યારા ઓ સામે ફિટકાર વરસાવ્યો હતો.જોકે પોલીસે હાલ બન્ને મૃતદેહને
પીએમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગે અજાણ્યા હત્યારા સામે
ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા

ડબલ મર્ડર પાછળ મૃતકના પરીવારમાંથી કોઈએ અગાઉ કોઈ મહિલાને
ભગાડી જવાઇ હતી. જેની અંગત અદાવત રાખી અજાણ્યા ઇસમોએ રાત્રે નિંદર માણી રહેલા દાદી
અને પૌત્રની હત્યા કરી હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!