નાનાપોઢા નીલકંઠ મહાદેવ મંદિરે ગુરુજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

0
180

શ્રી સદગુરુ દયાનંદ સત્સંગ મંડળ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર નાનાપોઢા ખાતે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મલિન શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદપાઠી મહારાજના સાતમા નિર્વાણ જ્યંતી મહોત્સવ સાથે ગુરુજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે મંગળવાર ના રોજ યોજાશે જેમાં શિવપૂજન સવારે 5 કલાકે શોભાયાત્રા અરનાલા ખાતે આવેલા કલ્યાનેશ્વર મહાદેવ મંદિર થી નીકળી ને નીલકંઠ મહાદેવ મંદિરે પોહચશે સવારે 9 વાગ્યે ગુરુ પાદુકા પુંજન બપોરે 12 વાગ્યે પ્રાણ પતિષ્ઠા મહોત્સવ  1 વાગ્યે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવશે આ શુભ આવસરે અનેક સંત મહંતો હરિદ્વાર ચાંદોદ પુનાટ  ધરમપુર તેમજ જાણીતા કથાકાર અને ભગવતા ચાર્ય પણ હાજરી આપશે સાથે સાથે પાણી પુરવઠા પ્રધાન જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય રમણ લાલ પાટકર,ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ગુલાબ રાઉત કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહન ગરેલ સહિત અનેક રાજકીય આગ્રણી ઓ હાજરી આપશે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here