સેલવાસ. દાનહ લોકસભાની પેટા ચુંટણીનું રણનાં મુખ્ય મહારથિયોંનું ચિત્ર ઇલૈકશન પહેલાં જ સ્પષ્ટ થઈ ગયું છે. દિવંગત સાંસદ મોહન ડેલકરના ધર્મપત્ની કલાબેન ડેલકર શિવસેનાનાં ઉમ્મેદવાર તરીકે ૮ અૉક્ટોબરે નૉમિનેશન કરશે. તેઓ આજે ૭ ઑક્ટોબરે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળિને શિવસેના જ્વાઇન કરી છે. ૮ ઑક્ટોબરે નૉમિનેશનનું છેલ્લા દિવસ છે.બીજી બાજૂ ભાજપે મહેશ ગાવિત પર દાંવ ખેલ્યો છે. મહેશ ગાવિત પંચાયત ચુંટણીનાં સમયે મૉહન ડેલકરનાં સાથ છોડીને ભાજપમાં જોડાયા હતાં.તે સમયે એવું સંભળાયો હતો તે અંગત સ્વાર્થના લીધે ભાજપમાં જોડાયો છો. તરતજ થયું પંચાયત ચુંટણીમાં તેમણાં ગામ વિસ્તારમાંથી ભાજપના કરારી હાર થયું હતું. એવું ચર્ચા હતું કે તે પ્રશાસકનાં કરીબી છે.નટુ પટેલનાં ટિકટ કપાયા પછી લોકો આ ચર્ચા અંગે વિચારતાં થયાં છે. આમ પણ લોકસભા ચુંટણીમાં ટિકિટ હાંસલ કરવાની બીજી પણ યોગ્યતા હોય છે. એમાં ચુંટણીમાં ખર્ચવાની પાત્રતા અહમ ગણાય છે.મહેશ ગાવિતે પણ અંતિમ દિવસે જ નૉમિનેશન કરવાનાં છે. મહેશ ગાવિતનાં નામ ભાજપે ૬ ઓક્ટોબરે સાર્વજનિક કર્યા હતા. એના પહેલા અમિનવ ડેલકર પિતાની ખાલી જગ્યા પર ચુંટણી લડવાની તૈયારીમાં હતાં. જેવું ભાજપ ઉમેદવાર તરીકે મહેશ ગાવિતનાં નામ બીજેપીનાં અમુક નેતાઓનાં સોશલ મીડિયા પોસ્ટમાં જાહેર થયાં તેવુજ ડેલકર ગુટ પોતાનાં ચુંટણી સ્ટેન્ડમાં બદલાવ કર્યુ. અભિનવના જગ્યાએ તેમની માતાશ્રી કલાબેનને ચુંટણી લડવવાનોં નિર્ણય લીધા. આ ભાજપનાં નહલા પર ડેલકર પરિવારનાં દહલા હતાં. ભાજપે અભિનવ ડેલકર જેવા યુવા અને ઇંગ્લિશ ભણેલા યુવાન સામે પૂર્વ પીએસઆઇ અંગ્રેજી બોલવામાં માહિર મહેશ ગાવિતને ચુંટણી મૈદાનમાં ઉતારવાનો ફૈસલો કર્યો હતો. પણ હવે સીન જરિક ચેંજ જેવુ થયો છે.ભાજપનાં સિમ્બોલની લીધે મહેશ ગાવિત તગડો ફાઇટ કરવાનો છો. જો પીએમ મોદી સેલવાસમાં જનસભા કરે તો એ સ્થિતિમાં ઘણો ફર્ક પડવાનો છે.પણ મોદી કદાચ જ ચુંટણી પ્રચાર કરવા સેલવાસ આવે. આમ તો રાજકારણ બહુ વિચિત્ર ચીજ છે.આજણાં સમયમાં રાજકારણમાં નૈતિકતા જેવું કશુ રહ્યુ જ નહીં. છતાં પણ તીર ઘનુષ અને કમળ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. કાંગ્રેસનાં સ્થિતિ બહુ કહેવા જેવું નથી. પ્રભુ ટોકિયા પેતાનૉ પ્રદેશ અધ્યક્ષ પર શરસંધાન કરી ચુંટણી લડવાની ઇન્કાર કર્યો છે.બીજા કૌણ-કૌણ મુરતિયો ચુંટણી મૈદાને ઉભા રહેશે આ જોવાનું પણ દિલચસ્પ હશે.












