જન આશીર્વાદ યાત્રા લઈ આવેલ કેબિનેટ મંત્રી અને વલસાડ પ્રભારી નરેશ પટેલનું વલસાડ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

0
363

ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી ની આજરોજ ” જન આશીર્વાદ યાત્રા” નું વલસાડ ના ડુંગરી કિશાન  સહકારી હોલ ખાતે સ્વાગત કરાયું.
દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી,કેન્દ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહજી,ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી અને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી ની આજરોજ ” જન આશીર્વાદ યાત્રા” નું ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની આગેવાની માં વલસાડ ના ડુંગરી કિશાન સહકારી હોલ ખાતે ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ,પ્રદેશ ભાજપ ના મંત્રી અને વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની,પ્રદેશ કારોબારી ના સભ્ય અને જિલ્લા ના પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયા,વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,મહામંત્રીશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,ગુજરાત પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય શ્રીમતી સીતાબેન નાયક,વલસાડ ડાંગ ના સંસદ સભ્યશ્રી ડો.કે.સી પટેલ,વલસાડ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ,ધરમપુર ના ધારાસભ્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખશ્રી જીતેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ મીડીયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે,જિલ્લા ભાજપ સોશિયલ મીડીયા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, જિલ્લા ભાજપ આઈ.ટી.વિભાગ ના ઇન્ચાર્જ શ્રી ધ્રુવીન પટેલ,વલસાડ તાલુકા ના પ્રભારી શ્રી હર્ષદભાઈ કટારીયા,વલસાડ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી કમલેશભાઈ ઠાકોર,વલસાડ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ,તેમજ જિલ્લા,તાલુકા ના વિવિધ હોદેદારો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here