![](https://www.khabardarweb.in/wp-content/uploads/2021/08/Capture-2021-08-07-12.30.17-1024x576.jpg)
આદિવાસી વિસ્તાર માં આજે પણ જ્યાં સરકાર વિકાસ થયો હોવાની વાત કરી રહી છે ત્યાં આજે પણ લોકોને જરૂરી પ્રાથમિક જરૂરિયાતો ના મળતા તેઓ આજે પણ કપરી સ્થિતિ માં જીવન નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે કપરાડા તાલુકાના સરવરટાટી ગામ ના મુખ્ય મુળગામ ફળિયા થી બન્દુસા ફળિયા માં જવા માટે આજે પણ કોઈ ડામર રોડ બનાવવામાં આવ્યો નથી અહીના ૩૦૦૦ ની વસ્તી ધરાવતા બન્દુસા ફળિયા ના લોકોને આજે પણ પગપાળા જવાની ફરજ પડે છે ચોમાસા દરમ્યાન કોઈ માંદગી માં સપડાયા તો ફળિયા થી મુખ્ય માર્ગ ઉપર દર્દી ને લાવવા માટે લાકડા ની મદદ થી ઝોળી કે કાવડ બનાવી ને બે વ્યક્તિ ઊંચકી ને ૩ કિમી ચાલી ડુંગર ઉપર લાવવા માં આવ્યા બાદ તેને ૧૦૮ સેવા ની મદદ મળે છે અહી નેટવર્ક પણ નથી જેથી સ્થાનિકો ને સંદેસા વ્યહાર માટે પણ ખુબ મુશ્કેલી પડે છે રાજકારણી ઓ સરકારી તંત્ર અને અનેક સ્થળે આવેદન લખિત મૌખિક ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ એ ધ્યાન ના આપતા સ્થાનિકો ની હાલત કફોડી છે લોકોની માંગ છે કે તેઓ ને ૩ કિમી નો ડામર રોડ બનાવી આપવામાં આવે નહિ તો આગામી દિવસ માં સ્થાનિકો ચુંટણી દરમ્યાન કોઈ ને પ્રચાર કરવા ફળિયા માં આવવા નહિ દે