વાપી નાં રફી પ્રેમીઓ એ આજે ગાયક મહમ્મદ રફી ની ૪૧ મી પૂણ્યતિથિ નિમિત્તે વાપી રેલ્વે સ્ટેશન રોડ પર બોમ્બે હૈર કટિંગ સલૂન ની સામે ગાયક મહમ્મદ રફી નાં વિશાળ ફોટા પર હાર ચડાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અહિયાં ઉદય સિંહ, ઇલ્યાજ શેખ વગેરે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ માં કોરોના કાળ દરમિયાન કોઈ જાહેર સમારંભો બંધ હોવાથી ગાયક ગાયક મહમ્મદ રફી ૪૧મી પૂણ્યતિથિ નિમિત્તે કોઈ જાહેર કાર્યક્રમ થઈ સકે તેમ નથી માટે આજે અહીંયા પાશ્વગાયક મહમ્મદ રફી ને હાર ચડાવીને શ્રધ્ધાંજલિ આપી છે. આજે સાંજે ૫ વાગે કોરોના માટેની સરકાર ની ગાઈડ લાઈન મુજબ તમામ પ્રકાર નાં નિયમો અનુસાર નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે; જ્યાં ફક્ત ચુનિંદા લોકો ભેગા મળીને રફી નાં ગીતો ગાસે.
Breaking News
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તોના પુનઃ સ્થાપન માટે યુદ્વના ધોરણે કામગીરી
સાકાર વાંચન કુટીર ખારવેલના વાચકો માટે વોટર કૂલરની ભેટ
વાપીમાં ‘અર્થમંથન’માં અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ – 2026 ની ઉજવણી
Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’
કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો






