Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દાદરા અને નગર હવેલીના સાંસદ ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સુખાલા સાઈધામ ખાતે યોજાયો અનેક અગ્રણીઓ ભાવુક બન્યા

On: March 2, 2021 12:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આદિવાસી નેતા અને દાદરા અને નગર હવેલી ના સતત સાત ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાઈ આવી ને પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ની કામગીરી કરી લોક ચાહના મેળવી હતી ત્યારે ગત રોજ મુંબઈ ની એક હોટલ માંથી તેમની લાશ મળી આવી હતી જેમના મોત ને લઈ પરિવાર સહિત અનેક પ્રતિનિધિઓ માનવા તૈયાર નથી કે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરી શકે ..આજે કપરાડા તાલુકાના સુખાલા ગામે સાઈધામ ખાતે શ્રદ્ધાંજલિ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૌન પાળી સ્વ.મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી  આ પ્રસંગે બરજુલ ભાઈના પુત્ર વસંત ભાઈ એ જણાવ્યું કે તેઓ એક આદિવાસી ઓના હક્ક અને ફરક અને યુવાનો ને નોકરી અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિ હતા તેમની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા આદિવાસી સમાજ ના યુવાનો ને રોજગારી મળી અને ઇન્ડસ્ટ્રીઝ ઓ પ્રદેશ માં આવી ..મોટાપોઢા ના મંગુભાઇ એ જણાવ્યું કે મન ક્યારે માની નહિ શકે કે દરેક મોરચે હક્ક અને અધિકાર માટે ટક્કર આપનાર વ્યક્તિ આ પગલુ ભરી શકે સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે માત્ર દાદરા અને નગર હવેલી પ્રદેશમાં જ નહીં પરંતુ તેઓ ગુજરાતના પણ જમાઈ કરતા હતા અને તેમનો જોમ જુસ્સો તેમજ રાજનીતિના દાવ પેચો ગુજરાતના યુવાનોમાં પણ છે અને તેને બહાર લાવવાની જરૂર છે ગુજરાતમાં યુવાનોને રાજનીતિમાં લાવી સ્વર્ગીય સાંસદ મોહનભાઇ પટેલ જેવા ઉચ્ચ વિચારો ના બીજ તેમનામાં રોકવાની જરૂર છે સાથે જ તેમણે મોહનભાઈ ડેલકરને આદિવાસી સમાજના ઉચ્ચ કોટિના નેતા તેમજ હક અને અધિકાર માટે સદા લડત ચલાવનાર નિષ્પક્ષ નેતા હોવાનું જણાવ્યું જ્યારે આ પ્રસંગે સ્વર્ગીય સાંસદ મોહનભાઇ પટેલ કરના સાળા પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે દિલ પરિવાર ઉપર આવી પડેલી આ વિપતની સ્થિતિમાં સંઘ પ્રદેશના લોકો તેમની સાથે છે જ સાથે ગુજરાતના જમાઈ હોવાને નાતે ગુજરાતના લોકો પણ તેમની હંમેશા પડખે રહે તેમણે કહ્યું કે તેમનો ભાણેજ અભિનવ ક્યારે પણ એકલો પડી શકે નહીં તેમના મામા અને ગુજરાતના લોકો સદા તેની પડખે રહેશે તો આ પ્રસંગે સુખાલા ગામથી હાલમાં જ રાજનીતિમાં પ્રવેશ કરનાર યુવા ઉમેદવાર કુંજાલી પટેલે ભાવુક થઈને કહ્યું કે તેમની પાસે સ્વર્ગીય મોહનભાઈ માટે કોઈ પણ શબ્દ નથી અને તેઓ આવું પગલું ભરી જ નહીં શકે આમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ શબ્દો દ્વારા પુષ્પો દ્વારા અને મીણબત્તી પ્રજ્વલિત કરી તેમની આત્માને શાંતિ મળે તે હેતુથી બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!