Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાતના 5 IPSને રાષ્ટ્રપતિ મેડલ: SPGમાંબફરજ બજાવતા રાજીવ રંજન, અમદાવાદ રેન્જ IG પ્રેમવીર સિંઘ સહિત 5 અધિકારીની પસંદગી, કાલે દિલ્હીમાં મેડલ અપાશે

On: January 25, 2024 8:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આવતીકાલે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી
થશે. ગુજરાતના પાંચ IPS અધિકારીઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા છે.જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગત, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફીકના એડિશનલ પોલીસ સમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.

રાજીવ રંજન ભગત 1998 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓનો જન્મ બિહારમાં 01/04/1968 રોજ થયો હતો. તેઓએ હિસ્ટ્રીમાં એમએ સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાત કેડરના IPS રાજીવ રંજન હાલ SPGમાં IG તરીકે ફરજ બજાવે છે.

પ્રેમવીર સિંઘ 2005ની બેચના આઇપીએસ છે. તેઓનો જન્મ 01/06/1974 રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મેથ્સમાં M.Sc. સુધી અભ્યાસ કર્યો છે. અત્યારે અમદાવાદ રેન્જ આઇજી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે અને અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.

મનિન્દર પ્રતાપસિંઘ પાવર 2005ની બેચના ગુજરાત
કેડરના આઇપીએસ છે. તેઓનો જન્મ પંજાબમાં 12- 05-1978ના રોજ થયો હતો. તેઓએ B.E (ઇલેક્ટ્રોનિક & ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન), પોસ્ટ
ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પોલીસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.5 વર્ષ માટે ડેપ્યુટેશન પર છે.BSFમાં તેઓ DIG તરીકે ફરજ બજાવી રહ્યા છે.

રાઘવેન્દ્ર વાસ્તા 2005ની બેચના આઇપીએસ છે.
તેઓનો જન્મ ઉતરપ્રદેશમાં 16-09-1978માં થયો
હતો. તેઓએ બી.ટેક ((ECE), એમ. ટેક (IT) માસ્ટર ઇન પોલીસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.તેઓ હાલ સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરમાં IPS અધિકારી તરીકે ફરજ બજાવે
છે.

નરેન્દ્ર ચૌધરી 2006ના આઇપીએસ છે. તેઓનો જન્મ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 18-02-1968નારોજ થયો હતો. તેઓએ BA સુધી અભ્યાસ કર્યો છેહાલ ટ્રાફિક વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!