[ad_1]
ખેડબ્રહ્મા તા. 16
ખેડબ્રહ્મા તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા ખેતી પાકો માટે
પુરતી પીયત વ્યવસ્થા ન હોવાના કારણે ઘઉં બટાકા જેવા પાકોનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં
ઘટાડો થયો છે.
ખેડબ્રહ્મા તાલુકામાં ગત વર્ષે વરસાદ ઓછો પડયો હતો. આ વર્ષે
પણ ગત વર્ષ કરતા ખુબ જ ઓછો વરસાદ પડયો છે. અને જેના કારણે તેની અસર ખેતી પાકોના વાવેતરમાં
પણ પડી છે.
ગત વર્ષની સરખામણીમાં ખેતી પાકો માટે પુરતી પીયત વ્યવસ્થા ન
હોવાના કારણે આ વર્ષે ઘઉંનુ વાવેતર ૩૪૨૯ હેકટર, મકાઈ ૨૯૫ હેક્ટર,
ચણા ૩૪૯ હેક્ટર, રાયડો ૨૧૯
હેક્ટર, બટાકા ૭૯૬
હેકટર, શાકભાજી ૧૧૧
હેક્ટર, ઘાસચારો ૫૪૩
હેક્ટર મળી કુલ ૫૭૫૨ હેક્ટરમાં હાલમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડુતોને પાણીની પુરતી
પીયત વ્યવસ્થા નહોવાના કારણે આ વર્ષે ઓછો પાણીએ ટુંકા ગાળામાં પાક તૈયાર થાય તેવા પાકોનો
વાવેતર વિસ્તાર વધ્યો છે.
[ad_2]
Source link